કઝાકિસ્તાનમાં લેન્ડિંગ વખતે એક passenger plane crash થયું છે. 100થી વધુ લોકો સવાર હતા. અકસ્માતના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કઝાકિસ્તાન માં લેન્ડિંગ વખતે પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. એવું કહેવાય છે કે આ વિમાન માં 100થી વધુ લોકો સવાર હતા. પ્રાથમિક રિપોર્ટ્સથી જાણવા મળે છે કે તેમાં કેટલાક લોકો જીવતા બચ્યા છે. મંત્રાલયે કહ્યું કે ઈમરજન્સી સર્વિસીસ દુર્ઘટનાસ્થળે આગ ઓલવવાની કોશિશ કરી રહી છે. વિમાન ક્રેશ થયાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન ઝડપથી જમીન તરફ આવી રહ્યું છે અને ગણતરીની પળોમાં અકસ્માત નો ભોગ બને છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ધડાકાનો અવાજ આવે છે. ત્યારબાદ આગ અને ધૂમાડાના ગોટા હવામાં જોવા મળી રહ્યા છે. રશિયન સમાચાર એજન્સીએ કહ્યું કે વિમાનનું સંચાલન અઝરબૈજાન એરલાઈન્સ દ્વારા થઈ રહ્યું હતું અને આ પ્લેન રશિયાના ચેચન્યામાં બાકુથી ગ્રોઝની માટે ઉડાણ ભરી રહ્યું હતું. પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસના કારણે તેનો માર્ગ બદલવામાં આવ્યો. અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે તરત કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જો કે કઝાખ મીડિયાનું કહેવું છે કે વિમાનમાં 105 મુસાફરો અને ક્રુના 5 સભ્યો સવાર હતા
વિમાન ક્રેશ કઝાકિસ્તાન અકસ્માત મોત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
e-KYC સરળતાથી થાય તે માટે સરકાર સક્રિય, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે, આ એપ પર ઓનલાઈન થઈ જશે કેવાયસીe-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત : અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ માહિતી આપી છે.
और पढो »
સીરિયાઈ રાષ્ટ્રપતિ અસદનું 500 મીટર ઉપરથી વિમાન ક્રેશ! રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા, લોકોએ મનાવ્યો જશ્નSyrian Civil War: સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. વિદ્રોહીઓએ સીરિયાની રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો છે. દરમિયાન, દેશ છોડીને ભાગી રહેલા રાષ્ટ્રપતિ બશર અલી અસદના વિમાન દુર્ઘટનાના અહેવાલો છે. અસદનો પરિવાર પહેલેથી જ દેશ છોડીને ભાગી ગયો હતો.
और पढो »
અદાણી-અંબાણી નહીં! આ વ્યક્તિની પાસે છે દુનિયાનો સૌથી મોંઘો ઘોડો, એટલી કિંમતમાં તો આવે 100થી વધુ રોલ્સ રોયસરિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીના એન્ટિલિયાની કિંમત લગભગ 11000 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. પરંતુ આ ઘોડાની વાત કરીએ તો તેની કિંમતમાં તમે 100થી વધુ રોલ્સ રોયસ કાર ખરીદી શકો છો. જોકે આ ઘોડો અંબાણી કે અદાણીની પાસે નથી. આવો જાણીએ કે આ ઘોડાનો માલિક કોણ છે?
और पढो »
PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? જાણો શું કહ્યું પુત્ર શ્રીકાંત શિંદેએકાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ લીલી ઝંડી આપ્યા બાદ હવે તેમના પુત્ર અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પિતાના વખાણ કરતા તેમને મરાઠી સમુદાય અને સમસ્ત મહારાષ્ટ્રીયન લોકોના સેવક ગણાવ્યા છે
और पढो »
મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના નામે ચાલી રહી છે 18થી વધુ કોલેજો, સંપત્તિને લઈ સામે આવી ચોંકાવનારી વિગતબીઝેડ ગ્રુપ દ્વારા આશરે 6 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ વચ્ચે કોર્ટમાં આરોપીએ આગોતરા જામીન અરજી પણ કરી છે.
और पढो »