ક્ષત્રિય આંદોલનના કારણે આ બેઠક પરના સમીકરણો બદલાઈ ગયા છે. આ બેઠક પર ભાજપને વધુ મહેનત કરવી પડી રહી છે. જેનું કારણ પાટીદાર, ક્ષત્રિય, મુસ્લિમ, દલિત અને સતવારા સમાજના મતો છે.
Lok Sabha Election 2024 : ગુજરાતમાં 25 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે. ભાજપ અને કોંગ્રેસ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે ક્ષત્રિયોની નારાજગી રાજ્યમાં ભાજપ માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં જામનગરની બેઠક પર આકરો મુકાબલો થવાની શક્યતાઓ છે.
વર્ષ 2024 ની શરૂઆતમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાંના સમારંભ માટે જામનગર વિશ્વભરની હેડલાઇન્સમાં હતું. 2024ની લોકસભાની ચૂંટણીમાં જામનગરની બેઠક માટે જબરદસ્ત ટક્કર થવાની શક્યતાઓ છે. આ બેઠક 2014થી ભાજપ પાસે છે. ભાજપે છેલ્લા બે વખતના સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. તેઓ આહીર સમાજના છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક પર સ્થાનિક અને કોંગ્રેસના સામાન્ય નેતા જેપી મારવિયાને મેદાનમાં ઉતાર્યા છે. અહીં સમીકરણો બદલાયા છે.
લઘુમતી મતદારોની જો વાત કરીએ અહીં 2.59 લાખ લઘુમતી મતદારો છે. આ ઉપરાંત અહીં સતવારા સમાજના 1.76 લાખ મતો છે અને સતવારા સમાજના બે અપક્ષ ઉમેદવારો ઉભા છે, જે મતમાં ગાબડું પાડે તો ભાજપને ટેન્શન આવી શકે છે. ક્ષત્રિયો, પાટીદારો, લઘુમતીઓ અને સતવારા સમાજના મતો વહેંચાઈ જાય તો અહીં સમીકરણો બદલાઈ જવાની પૂરી સંભાવના છે.જામનગરમાં કુલ સાત વિધાનસભા મતવિસ્તારો છે. આ પૈકી કાલાવડ એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. જામજોધપુર સિવાયની તમામ બેઠકો પર ભાજપનો કબજો છે. કોંગ્રેસે છેલ્લે 2009માં આ બેઠક જીતી હતી.
Gujarat Jamnagar Loksabha Election 2024 Election 2024 Reliance Jamnagar Poonam Madam Hit Hat Trick માસ્ટરસ્ટ્રોક મોદીએ માર્યો માસ્ટરસ્ટ્રોક રિલાયન્સ નવા સમીકરણો પૂનમ માડમ પૂનમ માડમ હેટ્રીક ફટકારશે પૂનમ માડમની મુશ્કેલી વધશે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીવોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.
और पढो »
ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
और पढो »
ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »
Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »
Photos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી અનુપમા સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં એન્ટ્રી કરી છે અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારબાદ હવે લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે રૂપાલી ગાંગુલી કદાચ અનુપમા ટીવી શો છોડી શકે છે. અત્રે જણાવવાનું કે એવા અનેક કલાકારો છે જેમણે રાતો રાત અનુપમાને અલવિદા કરી હતી.
और पढो »
8th Pay Commission: ક્યારે બનશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓએ આ સમાચાર ખાસ જાણવા જરૂરી છે8th Pay Commission latest news: એકબાજુ જ્યાં એવી ચર્ચા છે કે 8મું પગાર પંચ આવશે કે નહીં. ત્યાં હવે એ વાતે જોર પકડ્યું છે કે 8માં પગાર પંચના સમયે જ કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે અને આ વધારો છઠ્ઠા પગાર પંચમાં થયેલા વધારા કરતા પણ મોટો હોઈ શકે છે.
और पढो »