આજે પૌષી પૂર્ણિમા પર સ્નાન સાથે ભવ્ય દિવ્ય મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી રહ્યા છે. પોષ પૂર્ણિમા પર્વ પર એક કરોડથી વધુ લોકો સ્નાન કરે તેવો અંદાજ છે.
આજે પૌષી પૂર્ણિમા પર સ્નાન સાથે ભવ્ય દિવ્ય મહાકુંભ ની શરૂઆત થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી રહ્યા છે. પોષ પૂર્ણિમા પર્વ પર એક કરોડથી વધુ લોકો સ્નાન કરે તેવો અંદાજ છે. બ્રહ્મમુહૂર્તથી જ શ્રદ્ધાળુઓએ ત્રિવેણીની પાવન જળધારામાં આસ્થાની ડુબકી લગાવવાની શરૂ કરી દીધી. આખો દિવસ સંગમ તટના વિવિધ ઘાટો પર સ્નાન ચાલશે. \ઘાટો પર સુરક્ષાની રીતે જળ પોલીસ અને એનડીઆરએફની તૈનાતી કરાઈ છે. સ્નાન ઘાટો પર ગંગા અને યમુના ના જળધારામાં ડીપ વોટર બેરિકેટિંગ પણ કરાઈ છે.
ગંગા અને યમુનાના તટ પર કુલ 12 કિલોમીટરમાં સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા છે. આજે પોષ પૂર્ણિમા સ્નાન પર્વથી જ મહાકુંભમાં પવિત્ર કલ્પવાસની શરૂઆત પણ થશે. કાલે એટલે કે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના પર્વ પર તમામ 13 અખાડાઓના સંત સ્નાન કરશે. \અત્રે જણાવવાનું કે મહાકુંભના પહેલા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાથી એક દિવસ પહેલા જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સંગમ સ્નાન કરીને પુણ્ય લાભ મેળવ્યો. રવિવારે લગભગ 0 લાખ શ્રદ્ધાળુઓએ સંગમ ત્રિવેણીમાં આસ્થાની ડુબકી લગાવી. મોટી સંખ્યામાં સાધુ સંતોની સાથે જ પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોએ સંગમમાં ડુબકી લગાવી. આ વખતે મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો સંગમમાં સ્નાન કરે તેવો અંદાજ છે. \મહાકુંભમાં ડુબકી લગાવ્યા બાદ બે ખુબ જ શુભ કામ કરવા જોઈએ. મહાકુંભમાં ડુબકી લગાવ્યા બાદ તમારે કોઈને કોઈ પ્રાચીન મંદિરમાં દર્શન જરૂર કરવા જોઈએ. તમે સૂતા હનુમાનજી, નાગવાસુકી કે પછી કોઈ પણ ધાર્મિક અને પ્રાચીન મંદિરમાં દર્શન કરી શકો છો. આ મંદિરોમાં દર્શન કરવાની સાથે સાથે ત્યાંનો પ્રસાદ પણ લેવો જોઈએ. એવું માનવામાં આવે છે કે કુંભમાં ડુબકી લગાવ્યા બાદ મંદિરોના દર્શન કરવાથી જ તમારી યાત્રા પૂરી થાય છે. મહાકુંભમાં ડુબકી અને ત્યારબાદ મંદિરના દર્શન કરીને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળશે. \સનાતન ધર્મમાં દાનનું ખુબ મહત્વ છે. કુંભમાં ડુબકી લગાવ્યા બાદ તમારે દાન પણ કરવું જોઈએ. જો તમે જરૂરિયાતવાળાને અન્નદાન કરશો તો તે પણ પુણ્ય ફળ આપનારું છે. મહાકુંભ સ્નાન બાદ દાન કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને સાથે પિતૃઓ પણ ખુશ થાય છે. ધર્મસ્થળ પર કરાયેલું દાન તમને પાપોમાંથી મુક્ત કરી શકે છે અને તમારા જીવનને તેનાથી યોગ્ય દિશા મળી શકે છે. દાન કરવાથી કુંડળીના અનેક ગ્રહદોષ પણ દૂર થાય તેવી માન્યતા છે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પ્રયાગરાજના આ મંદિરમાં દર્શન વિના અધૂરું રહેશે કુંભ સ્નાન, પુરાણોમાં છે તેની વિગતવાર કહાનીKumbh Mela 2025: તીર્થનગરી પ્રયાગરાજમાં આ વર્ષે મહાકુંભ મેળાની મેજબાની કરવા જઈ રહ્યું છે. મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ભેગા થાય છે, જે પવિત્ર સંગમમાં આસ્થાની ડુબકી લગાડીને મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે.
और पढो »
મોટી-મોટી હોસ્પિટલોએ સરકારી પરિપત્રનો કર્યો ઉલાળિયો, શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરશે કાર્યવાહી?રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યની તમામ હોસ્પિટલો માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્ર પ્રમાણે હોસ્પિટલોએ ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાં એક સૂચના લખવાની હતી. પરંતુ ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
और पढो »
રાહુ ગોચર 2025: આ ત્રણ રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!રાહુ ગ્રહ 2025માં કુંભ રાશિમાં ગોચર કરશે, જેથી મેષ, સિંહ અને તુલા રાશિના લોકોને લાભ થશે.
और पढो »
કાંકરિયા કાર્નિવલ માટે અમદાવાદ પોલીસે જાહેરનામુંઅમદાવાદના કાંકરિયા તળાવમાં કાર્નિવલની શરૂઆત ૨૫ ડિસેમ્બરથી થવાની છે. મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક નિયમન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 'નો પાર્કિંગ ઝોન', 'નો સ્ટોપ' અને 'નો યુ ટર્ન' જેવા નિયમો लागू કરવામાં આવ્યા છે.
और पढो »
Shani Shukra Yuti: 28 ડિસેમ્બરથી સર્જાશે શુક્ર-શનિની મહાયુતિ, 4 રાશિવાળા દિવસ રાત કરશે પ્રગતિ, સુધરી જશે નવું વર્ષShani Shukra Yuti: વર્ષ 2025 પહેલા શનિ અને શુક્રની મહાયુતિ થવાની છે. કુંભ રાશિમાં શનિ-શુક્રની યુતિ 4 રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે.
और पढो »
ક્યારે છે સાચી મકરસંક્રાંતિ? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો સમયમકર સંક્રાંતિનો તહેવાર આ વર્ષે 14 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. જાણો શુભ મુહૂર્ત, સ્નાન અને દાનનો સમય.
और पढो »